“ઠક્કરબાપા”ના હૂલામણા નામથી જાણીતા શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની 156મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સચિવશ્રી સહિત અધિકારી-કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ કૃતજ્ઞતાભાવે પુષ્પાંજલિ આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
અત્રે નોંધનીય છે કે, શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરનો જન્મ ભાવનગર ખાતે તા. 29મી નવેમ્બર, 1869માં થયો હતો. પૂજ્ય ઠક્કરબાપા મહાત્મા ગાંધીજીના પ્રિયજન તેમજ હરિજનો અને આદિવાસીઓના ઉદ્ધારક હતા. અનુકંપા અને દયાના ગુણો તેમને વારસામાં મળ્યા હતા. વર્ષ 1914માં તેઓ હિન્દ સેવક સમાજ સાથે સક્રિય રીતે જોડાઈ સર્વાંગી સમાજસેવા માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.
પૂજ્ય ઠક્કરબાપાએ વર્ષ 1919 અને 1922માં ગુજરાત અને પંચમહાલના દુષ્કાળ વખતે આદિવાસીઓ માટે રાહત કામગીરી થકી અનાથ, નિરાધાર અને પીડિતો માટે ખૂબ ઉમદા કાર્ય કર્યું હતું. વર્ષ 1930માં અંગ્રેજો સામે અસહકારની લડતમાં તેમની ધરપકડ થઈ હતી અને દોઢ માસનો જેલવાસ પણ ભોગવ્યો હતો.
પૂજ્ય ઠક્કરબાપાએ અખિલ હિન્દ હરિજન સેવક સંઘના મંત્રી અને બંધારણસભાના સભ્ય થકી રાષ્ટ્રજીવનમાં પણ અગત્યની ભૂમિકા નિભાવી હતી. તેમણે બંધારણમાં હરિજનો-આદિવાસીઓ માટેના વિશિષ્ટ કલ્યાણને પ્રોત્સાહન આપ્યું હતું. પૂજ્ય ઠક્કરબાપાનું તા. 19મી જાન્યુઆરી, 1951ના રોજ નિધન થયું હતું. તેમનું સેવાયુક્ત જીવન, સમાનતા અને સામાજિક ન્યાય માટેનો સંદેશ આજે પણ લોકહૃદયમાં માર્ગદર્શક પ્રકાશસ્તંભ સમાન છે.
Women's Reservation Bill | સંસદના વિશેષ સત્ર (Special Session) માં નારી શક્તિ વંદન અધિનિયમ (Women's…
Lok Sabha Delimitation|ભારતના ચૂંટણી માળખા (Election Structure) અને પ્રતિનિધિત્વ પ્રણાલી (Representation System) માં મોટા ફેરફાર…
એપલે (Apple) ઇલોન મસ્કની xAI કંપનીના ગ્રોક એઆઈ (Grok AI) ને તેના એપ સ્ટોર (App…
ઓપનએઆઈ (OpenAI) ના તાજેતરના રિપોર્ટમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે ભારત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…
નાણાકીય વર્ષ (Financial Year) 2025-26ના તાજેતરના આંકડા મુજબ, ચીન ફરી એકવાર ભારતનું સૌથી મોટું વેપાર…
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ન હોવાને કારણે…