નવી દિલ્હી: બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી ભીષણ હિંસાએ ભારતની ચિંતામાં વધારો કર્યો છે. કટ્ટરપંથી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ બેકાબૂ બની છે, જેમાં ભારતીય રાજદ્વારી સંસ્થાઓ અને લઘુમતી સમુદાયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એક હિંદુ યુવકની નિર્મમ લિંચિંગ અને તેના મૃતદેહને જાહેરમાં સળગાવવાની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.
ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં સ્થિત ભારતીય રાજદ્વારી અને સાંસ્કૃતિક કેન્દ્રોને કટ્ટરપંથીઓ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. શુક્રવારે ઢાકામાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન દેખાવકારોએ ખુલ્લેઆમ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારત આ તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે.
નિષ્ણાતોના મતે, આ હિંસા પાછળ પાકિસ્તાન સમર્થિત કટ્ટરપંથીઓ અને જમાત-એ-ઇસ્લામીનો મોટો હાથ હોઈ શકે છે. આ ષડયંત્રના મુખ્ય કારણો નીચે મુજબ માનવામાં આવે છે:
ચૂંટણી ટાળવાની ચાલ: ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓને રોકવા માટે જાણીજોઈને અરાજકતા ફેલાવવામાં આવી રહી છે.
ભારતને ‘બલિનો બકરો’ બનાવવો: મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહી છે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભારત વિરોધી વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે.
મીડિયા પર હુમલો: ‘પ્રોથોમ આલો’ અને ‘ધ ડેઈલી સ્ટાર’ જેવા પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ પર હુમલા કરીને અભિવ્યક્તિની આઝાદીને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેથી માત્ર કટ્ટરપંથીઓનો જ અવાજ સંભળાય.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો યુનુસ સરકાર પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેશે, તો બાંગ્લાદેશમાં ફરી એકવાર સેનાએ હસ્તક્ષેપ કરવો પડી શકે છે. હાલમાં બાંગ્લાદેશ એક અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જેની સીધી અસર ભારતના સરહદી વિસ્તારોની સુરક્ષા પર પડી શકે છે.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…