નવી દિલ્હી: બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી ભીષણ હિંસાએ ભારતની ચિંતામાં વધારો કર્યો છે. કટ્ટરપંથી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ બેકાબૂ બની છે, જેમાં ભારતીય રાજદ્વારી સંસ્થાઓ અને લઘુમતી સમુદાયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એક હિંદુ યુવકની નિર્મમ લિંચિંગ અને તેના મૃતદેહને જાહેરમાં સળગાવવાની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.
ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં સ્થિત ભારતીય રાજદ્વારી અને સાંસ્કૃતિક કેન્દ્રોને કટ્ટરપંથીઓ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. શુક્રવારે ઢાકામાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન દેખાવકારોએ ખુલ્લેઆમ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારત આ તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે.
નિષ્ણાતોના મતે, આ હિંસા પાછળ પાકિસ્તાન સમર્થિત કટ્ટરપંથીઓ અને જમાત-એ-ઇસ્લામીનો મોટો હાથ હોઈ શકે છે. આ ષડયંત્રના મુખ્ય કારણો નીચે મુજબ માનવામાં આવે છે:
ચૂંટણી ટાળવાની ચાલ: ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓને રોકવા માટે જાણીજોઈને અરાજકતા ફેલાવવામાં આવી રહી છે.
ભારતને ‘બલિનો બકરો’ બનાવવો: મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહી છે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભારત વિરોધી વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે.
મીડિયા પર હુમલો: ‘પ્રોથોમ આલો’ અને ‘ધ ડેઈલી સ્ટાર’ જેવા પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ પર હુમલા કરીને અભિવ્યક્તિની આઝાદીને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેથી માત્ર કટ્ટરપંથીઓનો જ અવાજ સંભળાય.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો યુનુસ સરકાર પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેશે, તો બાંગ્લાદેશમાં ફરી એકવાર સેનાએ હસ્તક્ષેપ કરવો પડી શકે છે. હાલમાં બાંગ્લાદેશ એક અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જેની સીધી અસર ભારતના સરહદી વિસ્તારોની સુરક્ષા પર પડી શકે છે.
એકલ ડલ્લાસ દ્વારા ભારતના આશરે 342 ગામડોઓમાં પ્રભાવ પાળવા માટે $222,000 એકત્ર કરાયા લેન્ડમાર્ક DFW…
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગ્રેટર નોઈડા (Greater Noida) વિસ્તારમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના…
કેનેડાના (Canada) ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (Temporary Foreign Worker Program - TFWP) માં એક મોટો…
https://www.youtube.com/watch?v=fKiniAipCdM
વૈશ્વિક સ્તરે આર્થિક અને જીઓપોલિટિકલ (Geopolitical) અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) સતત મજબૂતી…
Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન…