મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) શરૂ થાય તે પહેલા જ એક મોટા વિવાદનો અંત આવ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થયેલી હિંસાના પડઘા ભારતમાં પડતા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઇએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને તેમના બાંગ્લાદેશી ફાસ્ટ બોલર (Fast Bowler) મુસ્તફિઝુર રહેમાનને રીલીઝ (Release) કરવા નિર્દેશ આપ્યો છે.
KKR એ હરાજી (Auction) માં મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદ્યો હતો. જોકે, બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાએ પુષ્ટિ કરી છે કે સોશિયલ મીડિયા અને ધર્મગુરુઓના ભારે વિરોધને પગલે આ નિર્ણય લેવો પડ્યો છે. હવે મુસ્તફિઝુર IPL 2026 માં રમી શકશે નહીં.
બાંગ્લાદેશી ખેલાડીને ટીમમાં સામેલ કરવા બદલ KKR ના માલિક શાહરૂખ ખાન (Shah Rukh Khan) ને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આધ્યાત્મિક ગુરુ દેવકીનંદન ઠાકુર સહિત અનેક લોકોએ સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવ્યું હતું. વિરોધ કરનારાઓનું કહેવું હતું કે જ્યાં સુધી બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમના ખેલાડીઓને ભારતમાં તક ન મળવી જોઈએ.
મુસ્તફિઝુર રહેમાન IPL ના અનુભવી ખેલાડી છે. તે અત્યાર સુધી 5 ટીમો જેવી કે સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને CSK માટે રમી ચૂક્યા છે. તેમણે 60 મેચમાં 65 વિકેટ ઝડપી છે. જોકે, વર્તમાન ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવને કારણે તેમનો આઈપીએલ પ્રવાસ હાલ પૂરતો અટકી ગયો છે.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…