Ahmedabad News

પ્રખર રાષ્ટ્રવાદી અગ્રણી સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતીએ સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

*


આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે  પ્રખર રાષ્ટ્રવાદી સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી ને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ પણ ઉપસ્થિત રહીને સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી.

મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 6 જુલાઈ ભારતના મહાન સપૂત ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી છે. શ્યામા પ્રસાદ મુખરજીએ ભારતમાં એક નવી વિચારધારાને જન્મ આપ્યો હતો.
ખૂબજ કડક શિસ્ત, હિન્દુત્વ અને શ્રેષ્ઠ સંસ્કારોના આગ્રહી એવા તેમના પિતા શ્રી આશુતોષ મુખરજીના કારણે શ્યામા પ્રસાદજીમાં બાળપણથી જ ભારતીયતા ના ઉચ્ચ સંસ્કારો હતા.

એમ.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્યામા પ્રસાદ જી કલકત્તા વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા.
ત્યારબાદ તેઓ ધારાસભ્ય બન્યા હતા.
વીર સાવરકરના આગ્રહથી તેઓ હિન્દુ મહાસભામાં સક્રિય બન્યા હતા.
સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેમણે ઉદ્યોગ અને પુરવઠા મંત્રીની તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

કાશ્મીરના મુદ્દે તેઓ ખૂબ જ સક્રિય અને ચિંતિત હતા અને દેશમાં એક વિધાન-એક નિશાન-એક પ્રધાન સિદ્ધાંતના શિલ્પકાર પણ શ્રી મુખરજી હતા. તેઓ પોતાના સમગ્ર જીવન દરમિયાન અખંડ ભારતના સમર્થક અને કાશ્મીર માટે સંઘર્ષરત રહ્યાં હતા.
તેમનું જીવન દર્શન આજે પણ આપણને રાષ્ટ્ર હિત પ્રથમ ના ભાવ સાથે જીવવાનું માર્ગદર્શન આપતું રહે છે એમ પણ શ્રી ઋષિકેશ પટેલે શ્યામા પ્રસાદજીને આદરાંજલી આપતાં જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ ડો. આશિષ દવે, ગાંધીનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી સી.બી.પંડ્યા તેમજ વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Chief Editor

Recent Posts

CETA: એક વ્યૂહાત્મક ભાગીદાર

15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…

6 hours ago

ભારત-UK ઐતિહાસિક કરાર: ભારતથી સોના-ચાંદી અને હીરાના દાગીનાની પ્રથમ ખેપ બ્રિટન રવાના

India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…

21 hours ago

પાકિસ્તાનમાં ભારે આક્રોશ: PoK અને બલૂચિસ્તાનમાં ફાટી નીકળી હિંસા, આર્મી ચીફ અસીમ મુનીરની ચિંતા વધી

Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…

22 hours ago

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી: ખાર્ગ આઈલેન્ડ પર ગ્રાઉન્ડ ઈન્વેઝનની આપી ધમકી

US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…

22 hours ago

U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે BAPS મંદિરોની મુલાકાત લીધી

U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…

1 day ago

કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ

CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…

1 day ago