Religious

આધુનિક યુગની મીરાં નામે પીંકી શર્મા

 યુપીની મહિલાએ ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે લગ્ન કર્યા
ઉત્તર પ્રદેશની પિંકી શર્માએ વૃંદાવન મંદિરની મુલાકાત લીધાના ત્રણ મહિના પછી, સંપૂર્ણ હિન્દુ લગ્ન સમારંભમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે લગ્ન કર્યા અને પ્રસાદ તરીકે સોનાની વીંટી મેળવી, જે તેણે ભગવાન તરફથી સ્વીકૃતિ ના સંકેત તરીકે લીધી. આ ધટના જોઇને ભગવાન કૃષ્ણના પ્રેમમાં ગળાડૂબ મીરાં યાદ આવી જાય છે અને  તેણે ગાયેલું ભજન મેરે તો ગીરધર ગોપાલ દૂસરાના કોઇ પણ યાદ આવી જાય છે.

 

ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં ભક્તિનું એક સુંદર પ્રદર્શન જોવા મળ્યું, જ્યાં 28 વર્ષીય પિંકી શર્માએ સંપૂર્ણ પરંપરાગત હિન્દુ વિધિથી ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે લગ્ન કર્યા ત્યારે આખું ગામ તે લગ્નનું સાક્ષી બન્યું હતું.

પિંકીએ શનિવારે પરંપરાગત લગ્નની બધી વિધિઓ કરી, જેમાં સાત પગલાંનો સમાવેશ થાય છે, ભગવાન કૃષ્ણની મૂર્તિ તેના ખોળામાં રાખીને. કોઈપણ દુલ્હનની જેમ, તેણીની વિદાય બીજા દિવસે થઈ.

આખું ગામ તેના પરિવારની ભૂમિકા ભજવવા માટે એકત્ર થયું હતું.
ત્યાં ઉપસ્થિત પત્રકારો સાથે વાત કરતા પિંકીએ સમજાવ્યું કે આ ફક્ત વ્યક્તિગત નિર્ણય નહોતો, પરંતુ તે જેને દૈવી સંકેત માનતી હતી. પિંકીએ ત્રણ મહિના પહેલા વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરની મુલાકાત લેવાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં તેણીને પ્રસાદ તરીકે સોનાની વીંટી મળી હતી. તેને વીંટીને ખુદ દેવતા તરફથી સંદેશ તરીકે લીધી હતી, તેને સ્વીકૃતિ ના સંકેત તરીકે અર્થઘટન કરી હતી.

તેણીએ કહ્યું કે, તે ક્ષણથી તેણીની ભક્તિ વધુ ગાઢ બની ગઈ. તેણીએ ઉમેર્યું કે હવે તેણીની એકમાત્ર ઇચ્છા વૃંદાવનમાં રહેવાની છે, પૂજા, ધ્યાન અને આધ્યાત્મિક સેવામાં પોતાનું જીવન સમર્પિત કરવાની છે. પિંકીએ એમ પણ કહ્યું કે મને કશાની ચિંતા નથી, કારણ કે તેણીને દ્રઢપણે વિશ્વાસ હતો કે ભગવાન કૃષ્ણ બધું જ સંભાળશે.

પિંકીનો પરિવાર શરૂઆતમાં તેણીના નિર્ણયનેા વિરોધ કરતું હતું પરંતુ તેની ભક્તિ જોઈને ને સૌ ઝૂકી ગયા હતા. . તેના પિતાએ કહ્યું કે તેઓ વર્ષોથી દિકરી માટે યોગ્ય વર શોધી રહ્યા હતા, પરંતુ પિંકીએ હંમેશા જવાબ આપ્યો કે બધું ત્યારે જ થશે જ્યારે ભગવાન કૃષ્ણ ઈચ્છશે.
તેણીની અટલ શ્રદ્ધા – અને સોનાની વીંટી ની ઘટના જોયા પછી – પરિવાર આખરે તેણીને ટેકો આપવા સંમત થયો. ત્યારબાદ તેઓ લગ્નના દસ દિવસ પહેલા વૃંદાવન ગયા અને મૂર્તિ ઘરે લાવી હતી.

ધાર્મિક વિધિ કરનારા પંડિતે  કહ્યું  હતું કે લગ્ન સંપૂર્ણ સંમતિથી થયા હતા અને ઉમેર્યું કે ભક્તિમાં ગહન શક્તિ છે. ગ્રામજનોએ તેને પ્રેમથી “મીરા” કહેવાનું શરૂ કર્યું છે, તેની ભક્તિની તુલના સંત મીરા બાઈ સાથે કરી છે.

પિંકીના મતે, વિધિ પછી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તેણીએ સાંસારિક ચિંતાઓનો ત્યાગ કર્યો છે અને પોતાને ભક્તિના માર્ગ પર સમર્પિત કરી દીધી છે, અને કહ્યું છે કે તે ફક્ત કૃષ્ણના પ્રેમ અને માર્ગદર્શનમાં ડૂબી રહેવા માંગે છે.

Chief Editor

Recent Posts

CETA: એક વ્યૂહાત્મક ભાગીદાર

15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…

4 hours ago

ભારત-UK ઐતિહાસિક કરાર: ભારતથી સોના-ચાંદી અને હીરાના દાગીનાની પ્રથમ ખેપ બ્રિટન રવાના

India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…

20 hours ago

પાકિસ્તાનમાં ભારે આક્રોશ: PoK અને બલૂચિસ્તાનમાં ફાટી નીકળી હિંસા, આર્મી ચીફ અસીમ મુનીરની ચિંતા વધી

Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…

20 hours ago

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી: ખાર્ગ આઈલેન્ડ પર ગ્રાઉન્ડ ઈન્વેઝનની આપી ધમકી

US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…

21 hours ago

U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે BAPS મંદિરોની મુલાકાત લીધી

U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…

1 day ago

કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ

CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…

1 day ago