યુપીની મહિલાએ ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે લગ્ન કર્યા
ઉત્તર પ્રદેશની પિંકી શર્માએ વૃંદાવન મંદિરની મુલાકાત લીધાના ત્રણ મહિના પછી, સંપૂર્ણ હિન્દુ લગ્ન સમારંભમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે લગ્ન કર્યા અને પ્રસાદ તરીકે સોનાની વીંટી મેળવી, જે તેણે ભગવાન તરફથી સ્વીકૃતિ ના સંકેત તરીકે લીધી. આ ધટના જોઇને ભગવાન કૃષ્ણના પ્રેમમાં ગળાડૂબ મીરાં યાદ આવી જાય છે અને તેણે ગાયેલું ભજન મેરે તો ગીરધર ગોપાલ દૂસરાના કોઇ પણ યાદ આવી જાય છે.
ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં ભક્તિનું એક સુંદર પ્રદર્શન જોવા મળ્યું, જ્યાં 28 વર્ષીય પિંકી શર્માએ સંપૂર્ણ પરંપરાગત હિન્દુ વિધિથી ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે લગ્ન કર્યા ત્યારે આખું ગામ તે લગ્નનું સાક્ષી બન્યું હતું.
પિંકીએ શનિવારે પરંપરાગત લગ્નની બધી વિધિઓ કરી, જેમાં સાત પગલાંનો સમાવેશ થાય છે, ભગવાન કૃષ્ણની મૂર્તિ તેના ખોળામાં રાખીને. કોઈપણ દુલ્હનની જેમ, તેણીની વિદાય બીજા દિવસે થઈ.
આખું ગામ તેના પરિવારની ભૂમિકા ભજવવા માટે એકત્ર થયું હતું.
ત્યાં ઉપસ્થિત પત્રકારો સાથે વાત કરતા પિંકીએ સમજાવ્યું કે આ ફક્ત વ્યક્તિગત નિર્ણય નહોતો, પરંતુ તે જેને દૈવી સંકેત માનતી હતી. પિંકીએ ત્રણ મહિના પહેલા વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરની મુલાકાત લેવાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં તેણીને પ્રસાદ તરીકે સોનાની વીંટી મળી હતી. તેને વીંટીને ખુદ દેવતા તરફથી સંદેશ તરીકે લીધી હતી, તેને સ્વીકૃતિ ના સંકેત તરીકે અર્થઘટન કરી હતી.
તેણીએ કહ્યું કે, તે ક્ષણથી તેણીની ભક્તિ વધુ ગાઢ બની ગઈ. તેણીએ ઉમેર્યું કે હવે તેણીની એકમાત્ર ઇચ્છા વૃંદાવનમાં રહેવાની છે, પૂજા, ધ્યાન અને આધ્યાત્મિક સેવામાં પોતાનું જીવન સમર્પિત કરવાની છે. પિંકીએ એમ પણ કહ્યું કે મને કશાની ચિંતા નથી, કારણ કે તેણીને દ્રઢપણે વિશ્વાસ હતો કે ભગવાન કૃષ્ણ બધું જ સંભાળશે.
પિંકીનો પરિવાર શરૂઆતમાં તેણીના નિર્ણયનેા વિરોધ કરતું હતું પરંતુ તેની ભક્તિ જોઈને ને સૌ ઝૂકી ગયા હતા. . તેના પિતાએ કહ્યું કે તેઓ વર્ષોથી દિકરી માટે યોગ્ય વર શોધી રહ્યા હતા, પરંતુ પિંકીએ હંમેશા જવાબ આપ્યો કે બધું ત્યારે જ થશે જ્યારે ભગવાન કૃષ્ણ ઈચ્છશે.
તેણીની અટલ શ્રદ્ધા – અને સોનાની વીંટી ની ઘટના જોયા પછી – પરિવાર આખરે તેણીને ટેકો આપવા સંમત થયો. ત્યારબાદ તેઓ લગ્નના દસ દિવસ પહેલા વૃંદાવન ગયા અને મૂર્તિ ઘરે લાવી હતી.
ધાર્મિક વિધિ કરનારા પંડિતે કહ્યું હતું કે લગ્ન સંપૂર્ણ સંમતિથી થયા હતા અને ઉમેર્યું કે ભક્તિમાં ગહન શક્તિ છે. ગ્રામજનોએ તેને પ્રેમથી “મીરા” કહેવાનું શરૂ કર્યું છે, તેની ભક્તિની તુલના સંત મીરા બાઈ સાથે કરી છે.
પિંકીના મતે, વિધિ પછી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તેણીએ સાંસારિક ચિંતાઓનો ત્યાગ કર્યો છે અને પોતાને ભક્તિના માર્ગ પર સમર્પિત કરી દીધી છે, અને કહ્યું છે કે તે ફક્ત કૃષ્ણના પ્રેમ અને માર્ગદર્શનમાં ડૂબી રહેવા માંગે છે.
એકલ ડલ્લાસ દ્વારા ભારતના આશરે 342 ગામડોઓમાં પ્રભાવ પાળવા માટે $222,000 એકત્ર કરાયા લેન્ડમાર્ક DFW…
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગ્રેટર નોઈડા (Greater Noida) વિસ્તારમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના…
કેનેડાના (Canada) ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (Temporary Foreign Worker Program - TFWP) માં એક મોટો…
https://www.youtube.com/watch?v=fKiniAipCdM
વૈશ્વિક સ્તરે આર્થિક અને જીઓપોલિટિકલ (Geopolitical) અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) સતત મજબૂતી…
Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન…