અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલમાં ભારતનાશહેરી વિસ્તારની પ્રથમ ફ્લાવર વેલી તૈયાર થઇ

– આ ફ્લાવર વેલી ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી છે
-કોસમોસ જાતના પ્લાન્ટેશનના જુદા-જુદા કલરના ફુલોના પ્લાન્ટ્સ વેલી રૂપે લગાવવામાં આવ્યા
– મુલાકાતીઓ ઓનલાઇન તેમજ સ્થળ ઉપરથી ફિઝિકલ રીતે ટિકિટ મેળવી શકશે
– ઓનલાઇન ટિકિટી માટે amdapark એપ્લિકેશન ડાઉનલોડ કરવી
-12 વર્ષથી વધુના તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ ફી રૂ. 10 ની ટિકિટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલ વિસ્તારમાં ભારતના શહેરી વિસ્તારની પ્રથમ ફ્લાવર વેલી
તૈયાર કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી ફ્લાવર વેલી ગુજરાતની પ્રથમ
ફ્લાવર વેલી છે. આ ફ્લાવર વેલીનું ઉદ્ધાટન અમદાવાદના મેયર શ્રી કિરીટભાઇ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ફ્લાવર વેલી પૂર્વઝોનના નિકોલ વોર્ડમાં ટી.પી.100, એફ.પી.114 વાળા પ્લોટમાં અંદાજિત 20 હજાર
ચો.મી કરતા વધુ વિસ્તારમાં ડેવલપ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા નવા
નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે આ ફ્લાવર વેલી તૈયાર કરવામાં આવી છે.


ભારતના શહેરી વિસ્તારની પ્રથમ ફ્લાવર વેલીની વિશેષતાની વાત કરીએ તો આ ફ્લાવર વેલી ભારતના શહેરી
વિસ્તારની પ્રથમ ફ્લાવર વેલી છે. જ્યાં એક જ પ્રકારના ફુલોથી સમગ્ર વિસ્તારને ફ્લાવર વેલી તરીકે તૈયાર કરવામાં
આવ્યો છે. આ વેલીની ખાસિયત એ પણ છે કે, અહી કોસમોસ જાતના પ્લાન્ટેશનના જુદા-જુદા કલરના ફુલોના પ્લાન્ટ્સ
વેલી રૂપે લગાવવામાં આવ્યા છે.


અમદાવાદના નિકોલ વિસ્તારમાં તૈયાર થયેલી આ ફ્લાવર વેલીની મુલાકાતે આવનારા 12 વર્ષથી વધુના તમામ
મુલાકાતીઓ માટે પ્રવેશ ફી રૂ. 10ની ટિકિટ રાખવામાં આવી છે. એટલું જ નહીં, આ ફ્લાવર વેલીની ટિકિટ ઓનલાઇન
તેમજ સ્થળ ઉપરથી ફિઝિકલ રીતે પણ મેળવી શકશે. આ ફ્લાવર વેલીને નિહાળવા મુલાકાતીઓ માટે એક-એક કલાકના
સ્લોટ રાખવામાં આવ્યા છે. આ ફ્લાવર વેલીમાં પ્રવેશ સમય સવારે 9 થી રાત્રીના 9 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.
આ ફ્લાવર વેલીની મુલાકાતે આવનારા મુલાકાતીઓ amdapark એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓનલાઇન ટિકિટ
બુકિંગ કરાવી શકશે. ઓનલાઇન બુકિંગ કરનારાને રૂ. 2 નું ડિસ્કાઉન્ટ પણ મળશે.
આ ફ્લાવર વેલીના ઉદ્ધાટન પ્રસંગે સાસંદ શ્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ,
ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઇ બારોટ, પાર્ક એન્ડ ગાર્ડનના કમિશ્નર શ્રી
રમેશ મિરજા, ડેપ્યુટી કમિશ્નર શ્રી સતિષ પટેલ, કાઉન્સિલરશ્રીઓ તેમજ જગન્નાથજી મંદિરના મહામંડલેશ્વર શ્રી
દિલીપદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.


H S

Recent Posts

CETA: એક વ્યૂહાત્મક ભાગીદાર

15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…

10 hours ago

ભારત-UK ઐતિહાસિક કરાર: ભારતથી સોના-ચાંદી અને હીરાના દાગીનાની પ્રથમ ખેપ બ્રિટન રવાના

India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…

1 day ago

પાકિસ્તાનમાં ભારે આક્રોશ: PoK અને બલૂચિસ્તાનમાં ફાટી નીકળી હિંસા, આર્મી ચીફ અસીમ મુનીરની ચિંતા વધી

Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…

1 day ago

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી: ખાર્ગ આઈલેન્ડ પર ગ્રાઉન્ડ ઈન્વેઝનની આપી ધમકી

US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…

1 day ago

U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે BAPS મંદિરોની મુલાકાત લીધી

U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…

1 day ago

કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ

CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…

1 day ago