Breaking News

ડલાસ ટેક્સાસમાં જલારામ બાપા મંદિર માટે જમીન દાન 

શ્રી પીયૂષભાઈ ઠક્કર (અખાણી) અને શ્રી વિપુલભાઈ ઠક્કર (અખાણી) પરિવારે (વારાહી) આજે ઇરવિંગ ટેક્સાસમાં રાધે શ્યામ ધામ ખાતે જલારામ બાપા
 સત્સંગનું આયોજન કર્યું હતું અને સાથે ભોજનનો કાર્યક્રમ પણ રાખ્યો હતો.


તેઓએ DFW ના લોહાણા એસોસિએશનના તમામ સભ્યોને આમંત્રણ આપ્યું હતું. શ્રી પિયુષભાઈ ઠક્કર (અખાણી) અને શ્રી વિપુલભાઈ ઠક્કર (અખાણી) આજે લોહાણા એસોસિએશન ઓફ DFW ને પૈસા દાનમાં આપતા આવ્યા છે અને  તેઓ ડલાસ વિસ્તારમાં જલારામ બાપા મંદિરની જમીન સંપાદન માટે નાણાં દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે.


લોહાણા એસોસીયેશનના તમામ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં અધ્યક્ષ ભુપેન્દ્રભાઈ ઠક્કર,  પ્રમુખ  મયુર ઠક્કર, કેતુલ ઠક્કર,  ઉપપ્રમુખ પ્રણવભાઈ સેક્રેટરી  સિંગાલા, મયુર અખાણી સહ સભ્ય
તૃપ્તિ ઠક્કર, અમી ઠક્કર અને રવિ ઠક્કર અને DFW ના લોહાણા એસોસિએશનના તમામ સભ્યો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
ડલાસ ટેક્સાસમાં જલારામ બાપા મંદિર માટે જમીન દાન કરવા બદલ શ્રી પિયુષભાઈ ઠક્કર (અખાણી) અને શ્રી વિપુલભાઈ ઠક્કર (અખાણી)વારાહી પરિવાર નો ખૂબ ખૂબ આભાર માને છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: