Telangana News | તેલંગાણા સરકાર (Telangana Government) વૃદ્ધ વડીલોના રક્ષણ માટે એક અત્યંત કડક અને મહત્વપૂર્ણ કાયદો લાવવા જઈ રહી છે. મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ (CM Revanth Reddy) જાહેરાત કરી છે કે જો કોઈ સરકારી કર્મચારી પોતાના વૃદ્ધ માતા-પિતાની ઉપેક્ષા કરશે, તો તેમના પગારમાંથી 10 થી 15 ટકાનો કાપ મૂકવામાં આવશે.
નવા કાયદા (Legislation) મુજબ, જો કોઈ વૃદ્ધ માતા-પિતા તેમના પુત્ર કે પુત્રી (જે સરકારી નોકરીમાં હોય) વિરુદ્ધ ફરિયાદ કરશે કે તેમનું ધ્યાન રાખવામાં આવતું નથી, તો સરકાર ગંભીરતાથી પગલાં લેશે. કર્મચારીના પગારમાંથી કાપવામાં આવેલી 10 ટકા રકમ સીધી જ તેમના માતા-પિતાના બેંક ખાતામાં (Bank Account) ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી તેઓ ગૌરવ સાથે પોતાનું જીવન જીવી શકે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર આગામી બજેટ સત્રમાં (Budget Session) આ માનવતાવાદી કાયદો રજૂ કરશે. તેમણે કહ્યું કે, “જે લોકો પોતાના માતા-પિતાનું ધ્યાન નથી રાખતા, તેઓ સમાજ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી (Moral Responsibility) નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે.”
સરકારે વડીલો અને દિવ્યાંગો માટે અન્ય ઘણી મહત્વની જાહેરાતો પણ કરી છે:
માતા-પિતાના કાયદાની સાથે, સીએમ રેડ્ડીએ ટ્રાન્સજેન્ડર (Transgender) વ્યક્તિઓ માટે પણ ઐતિહાસિક જાહેરાત કરી છે. હવેથી દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક ટ્રાન્સજેન્ડર સભ્યને કો-ઓપ્શન સભ્ય (Co-option Member) તરીકે નોમિનેટ કરવામાં આવશે, જેથી તેઓ પોતાની સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરી શકે.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…