Somnath The Shrine Eternal Book | સોમનાથ મંદિર પર આતતાયી મહંમદ ગઝનીના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ભારતની અસ્મિતા (Identity) ના આ પ્રતીક વિશે જાણવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તેમના તાજેતરના વિશેષ લેખમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી લિખિત ‘સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ’ (Somnath: The Shrine Eternal) પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે, જેના કારણે ગૂગલ (Google Search) પર આ પુસ્તક વિશે જાણવા માટે જ્ઞાનપિપાસુઓનો ધસારો વધ્યો છે.
ક.મા. મુનશીએ વર્ષ 1951માં સોમનાથ મંદિરના પુનઃસ્થાપન અને જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા (Consecration Ceremony) પ્રસંગે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ લખી હતી. આ પુસ્તક ભારતીય વિદ્યા ભવનની ‘બુક્સ યુનિવર્સિટી’ (Books University) શ્રેણી હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું છે. મુનશીજીએ આ પુસ્તક દ્વારા ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોને આધુનિક જ્ઞાન સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો છે.
આ પુસ્તક માત્ર ધાર્મિક જ નહીં, પણ ઐતિહાસિક અને પુરાતત્વીય દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનું છે. તેને મુખ્યત્વે ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે:
પૌરાણિક કથાઓ: સોમનાથનો પ્રાચીન ઇતિહાસ.
રોમાન્સ ઇન સ્ટોન (Romance in Stone): પથ્થરોમાં કંડારાયેલું ભવ્ય સ્થાપત્ય (Architecture).
ઉત્ખનન (Excavations): પુરાતત્વીય ખોદકામ દ્વારા મળેલા પુરાવાઓ.
ઐતિહાસિક દસ્તાવેજો: મુસ્લિમ ઇતિહાસકારોના લખાણો અને વિવિધ શિલાલેખો (Inscriptions).
પુસ્તકમાં 1025માં ગઝનીના આક્રમણથી લઈને અલાઉદ્દીન ખિલજી અને ઔરંગઝેબના સમય સુધીના વિનાશનું વિગતવાર વર્ણન છે. મુનશીજી લખે છે કે આ હુમલા માત્ર ઇમારતનો ધ્વંસ નહોતા, પરંતુ રાષ્ટ્રીય આત્મા (National Soul) પર થયેલો આઘાત હતો. તેમ છતાં, સોમનાથ મંદિર ‘ફીનિક્સ’ (Phoenix) પક્ષીની જેમ રાખમાંથી વારંવાર બેઠું થઈને પોતાની અજેયતા સાબિત કરતું રહ્યું છે.
પુસ્તકનો એક મહત્વનો ભાગ 13 નવેમ્બર 1947ના એ ઐતિહાસિક દિવસ પર કેન્દ્રિત છે, જ્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે (Sardar Vallabhbhai Patel) સમુદ્રના જળ સાથે સોમનાથના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો. ક.મા. મુનશીએ આ ઘટનાને ભારતના ગૌરવની પુનઃસ્થાપના તરીકે આલેખી છે.
‘સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ’ એ માત્ર એક પુસ્તક નથી, પરંતુ પેઢી દર પેઢી ભારતને તેના સાંસ્કૃતિક મૂળ (Cultural Roots) સાથે જોડી રાખતી એક કડી છે. વર્તમાનમાં જ્યારે સોમનાથમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે આ પુસ્તક વાંચવું દરેક ભારતીય માટે ગૌરવની વાત બની રહેશે.
એકલ ડલ્લાસ દ્વારા ભારતના આશરે 342 ગામડોઓમાં પ્રભાવ પાળવા માટે $222,000 એકત્ર કરાયા લેન્ડમાર્ક DFW…
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગ્રેટર નોઈડા (Greater Noida) વિસ્તારમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના…
કેનેડાના (Canada) ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (Temporary Foreign Worker Program - TFWP) માં એક મોટો…
https://www.youtube.com/watch?v=fKiniAipCdM
વૈશ્વિક સ્તરે આર્થિક અને જીઓપોલિટિકલ (Geopolitical) અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) સતત મજબૂતી…
Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન…