પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે અમદાવાદ અને ગાંધીનગર ખાતે ભારત-જર્મનીની મિત્રતાના નવા અધ્યાય લખાયા છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ (Friedrich Merz) સાથે PM મોદીએ સાબરમતી આશ્રમ, પતંગ મહોત્સવ અને હેરિટેજ પોળની મુલાકાત લીધી હતી.
આજે સવારે બંને નેતાઓએ ગાંધી આશ્રમ (Gandhi Ashram) ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ અમદાવાદના રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (International Kite Festival) માં બંને નેતાઓએ ખુલ્લી જીપમાં ફરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ભારત-જર્મનીની ફ્રેન્ડશીપનો પતંગ ચગાવ્યો હતો. PM મોદીએ ચાન્સેલર મર્ઝને પતંગનો ઇતિહાસ અને અમદાવાદની હેરિટેજ પોળની સંસ્કૃતિ વિશે રસપ્રદ માહિતી આપી હતી.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બેઠક બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં PM મોદીએ જણાવ્યું કે, ભારત અને જર્મની વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર (Bilateral Trade) 50 બિલિયન ડોલર ને પાર કરી ગયો છે.
બેઠકના મુખ્ય મુદ્દાઓ:
સેન્ટર ઓફ એક્સલન્સ: ટેકનોલોજી અને ઇનોવેશન માટે ‘ઇન્ડિયા-જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ’ (Center of Excellence) સ્થપાશે.
વિઝા ફ્રી ટ્રાન્ઝિટ: ભારતીય નાગરિકો માટે જર્મનીએ વિઝા ફ્રી ટ્રાન્ઝિટ (Visa-Free Transit) ની સુવિધા જાહેર કરી છે.
હેલ્થકેર સહયોગ: ગ્લોબલ સ્કિલ્સ પાર્ટનરશિપ હેઠળ ભારતીય હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે જર્મનીમાં રોજગારીની તકો સરળ બનશે.
આતંકવાદ વિરુદ્ધ લડાઈ: બંને દેશો આતંકવાદ સામે દ્રઢતાથી લડવા અને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા લાવવા સહમત થયા છે.
PM મોદીએ ગુજરાતી સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “આવકારો મીઠો આપજે રે” ની ભાવના સાથે અમે ચાન્સેલરનું સ્વાગત કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સ્વામી વિવેકાનંદે ભારત અને જર્મની વચ્ચે જે જ્ઞાન અને આત્માનો સેતુ બનાવ્યો હતો, તેને આ મુલાકાતથી નવી ઊર્જા મળી છે.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…