World

ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ કરતા અમેરિકા લાલઘૂમ, તાત્કાલીક જળમાર્ગ ખોલો નહીં તો…’

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. અમેરિકા (America) અને ઈઝરાયલ (Israel) સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાને (Iran) વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ને બંધ કરી દીધો છે.

આ જળમાર્ગમાંથી વિશ્વનો 20 ટકા ઓઈલ અને ગેસ (Oil & Gas) નો વેપાર પસાર થાય છે. ઈરાનના આ પગલાથી યુએઈ (UAE) અને બહેરીન (Bahrain) સહિત 22 દેશોએ સંયુક્ત નિવેદન જારી કરીને ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે.

22 દેશોએ આક્ષેપ કર્યો છે કે ઈરાન નિઃશસ્ત્ર કોમર્શિયલ જહાજો (Commercial Ships) પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.

ઈરાની સેનાએ જળમાર્ગમાં માઈન્સ (Mines) બિછાવવાનું કામ પણ શરૂ કર્યું છે. જો આ જળમાર્ગ તાત્કાલીક ખોલવામાં નહીં આવે, તો વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેન (Supply Chain) ખોરવાઈ જશે અને આર્થિક સંકટ ઘેરું બનશે.

બીજી તરફ, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (US Central Command) દ્વારા ઈરાન પર મોટા પાયે વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. એડમિરલ બ્રૈડ કૂપરના જણાવ્યા અનુસાર, અમેરિકાએ અત્યાર સુધીમાં ઈરાનના 130 જહાજો સહિત 8,000 થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે.

દ્વિતીય વિશ્વ યુદ્ધ (World War 2) બાદ કોઈ નૌકાદળનો આટલો મોટો વિનાશ થયો હોય તેવી આ પ્રથમ ઘટના છે. સતત થઈ રહેલા હુમલાઓને કારણે ઈરાનની લડવાની ક્ષમતા (Combat Capacity) ઘટી રહી છે, તેમ છતાં જળમાર્ગ બંધ રહેતા વૈશ્વિક બજારમાં તેલની કિંમતો વધવાની ભીતિ સેવાઈ રહી છે.

Chief Editor

Recent Posts

પશ્ચિમ બંગાળમાં શુવેન્દુ અધિકારીના PAની હત્યા, ભાજપે ગુંડાઓના સફાયાની આપી ચેતવણી

Suvendu Adhikari PA Murder | પશ્ચિમ બંગાળના રાજકારણમાં (Politics) ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે.…

4 hours ago

અમદાવાદ વિમાન દુર્ઘટના માટે પાઇલટની ભૂલ નહીં પણ ટેકનિકલ ખામી જવાબદારઃ FIP

Ahmedabad Plane Crash | અમદાવાદ (Ahmedabad)માં બનેલી કરુણ વિમાન દુર્ઘટના (Plane Crash) અંગે દરરોજ નવા અને…

4 hours ago

પશ્ચિમ બંગાળમાં હાર બાદ ટીએમસીમાં નેતા અને અધિકારીઓના ટપોટપ રાજીનામા પડવા લાગ્યા

West Bengal Election | પશ્ચિમ બંગાળના (West Bengal) રાજકારણમાં 2026 ની વિધાનસભા ચૂંટણીએ એક મોટું પરિવર્તન…

6 hours ago

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બોમ્બે હાઈકોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ચુકાદાને યથાવત રાખ્યો

Sohrabuddin Encounter Case | બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) ગુરુવારે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં એક મહત્વપૂર્ણ…

6 hours ago

WRWWO-અમદાવાદ દ્વારા 30 રેલવે કર્મચારી સન્માનિત

અમદાવાદ મંડળ પર આંતરરાષ્ટ્રીય મજૂર દિવસનું આયોજન   તારીખ 1 મે 2026 આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના…

8 hours ago

મહેસાણાથી આસામ જવા માટે પહેલી મસાલા ભરેલી ટ્રેન રવાના

  પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ :માલ પરિવહનમાં નવા કીર્તિમાન સ્થાપિત કર્યા.     પશ્ચિમ રેલવેનું…

8 hours ago