India Development

Video : ‘ઓપરેશન મહાદેવ’માં પહેલગામ હુમલાના 3 આતંકી ઠાર માર્યા’:  અમિત શાહ

પહેલગામ હુમલા (Pahalgam attackers)ને અંજામ આપનારા ત્રણ આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર માર્યા છે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહ મંત્રી (Home minister) અમિત શાહે (Amit Shah) મંગળવારે લોકસભામાં કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે ‘ઓપરેશન મહાદેવ’ (Operation Mahadev) એ આતંકવાદીઓને તેમના અંજામ સુધી પહોંચાડ્યા. સંસદમાં શાહે જણાવ્યું કે સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે ‘ઓપરેશન મહાદેવ’ દ્વારા ત્રણ આતંકવાદીઓને માર્યા છે, જેમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જીબ્રાનનો સમાવેશ થાય છે.

ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું કે સુલેમાન લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો, જે ગગનગીર આતંકવાદી હુમલામાં સામેલ હતો. તેના બધા પુરાવા એજન્સીઓ પાસે છે. આતંકવાદી અફઘાન અને જીબ્રાન, લશ્કરના ‘એ’ શ્રેણીના આતંકવાદી હતા. અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું કે ત્રણેય આતંકવાદીઓ બૈસરન ઘાટી હુમલામાં સામેલ હતા.

‘ઓપરેશન મહાદેવ’નું વિસ્તૃત વર્ણન
અમિત શાહે જણાવ્યું કે, પહેલગામ હુમલા પછી 23 એપ્રિલે એક સુરક્ષા મીટિંગ કરવામાં આવી. સૌથી પહેલા નિર્ણય લેવામાં આવ્યો કે આતંકવાદીઓ દેશ છોડીને પાકિસ્તાન ભાગી ન શકે. આની સંપૂર્ણ પાકી વ્યવસ્થા કરવામાં આવી અને આતંકવાદીઓને ભાગવા દીધા નહીં. 22 મેના રોજ IB પાસે માહિતી આવી હતી.

ડાચીગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની જાણકારી મળી હતી. સેના અને IB સિગ્નલ કેપ્ચર કરીને 22 આતંકવાદીઓ વિશેની માહિતી પાકી કરી. 22 જુલાઈએ સેન્સર દ્વારા આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ થઈ. સેનાના 4 પેરાના જવાન, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ એકસાથે આતંકવાદીઓને ઘેરવાનું કામ કર્યું. સોમવારે ઓપરેશન થયું, તેમાં પહેલગામ હુમલાના ત્રણેય આતંકવાદીઓ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા.

ફોરેન્સિક પુરાવા અને પુષ્ટિ
અમિત શાહે લોકસભામાં જાણકારી આપી છે કે પહેલગામ હુમલા દરમિયાન મળેલા કારતૂસના ખોખા અને આતંકવાદીઓની રાઇફલના ખોખાનું મેચિંગ થયું છે. આતંકવાદીઓ પાસેથી એક M-9 અમેરિકન અને બે AK-47 રાઇફલ જપ્ત કરવામાં આવી હતી. ગૃહ મંત્રીએ લોકસભામાં જાણકારી આપી કે ચંદીગઢ FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના રિપોર્ટમાં કારતૂસનું મેચિંગ થયું છે. 6 વૈજ્ઞાનિકોએ ક્રોસ ચેક કર્યું છે. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે આ તે જ ગોળીઓ છે જે પહેલગામમાં ચલાવવામાં આવી હતી.


Chief Editor

Recent Posts

CETA: એક વ્યૂહાત્મક ભાગીદાર

15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…

7 hours ago

ભારત-UK ઐતિહાસિક કરાર: ભારતથી સોના-ચાંદી અને હીરાના દાગીનાની પ્રથમ ખેપ બ્રિટન રવાના

India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…

22 hours ago

પાકિસ્તાનમાં ભારે આક્રોશ: PoK અને બલૂચિસ્તાનમાં ફાટી નીકળી હિંસા, આર્મી ચીફ અસીમ મુનીરની ચિંતા વધી

Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…

22 hours ago

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી: ખાર્ગ આઈલેન્ડ પર ગ્રાઉન્ડ ઈન્વેઝનની આપી ધમકી

US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…

23 hours ago

U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે BAPS મંદિરોની મુલાકાત લીધી

U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…

1 day ago

કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ

CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…

1 day ago