મહાન બલિદાની રાજા નાહર સિંહની જીવન ગાથા યુવા પેઢીને પ્રેરણા આપશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી
દેશના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહીદ અને વલ્લભગઢના શાસક રાજા નાહર સિંહની પ્રતિમાનું આજે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વલ્લભગઢના દશેરા મેદાનમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સ્મારકના અનાવરણ પ્રસંગે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચૌધરી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચૌધરી ઓમ પ્રકાશ ચૌટાલા, મથુરાના સાંસદ હેમા માલિની, રાષ્ટ્રીય સચિવ ઓ.પી. ધનખડ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચૌધરી ઓમ પ્રકાશ ચૌટાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
1857ની ક્રાંતિના પ્રણેતા અને મહાન જાટ શહીદ રાજા નાહર સિંહની પ્રતિમાના અનાવરણ સમારોહમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાજા નાહર સિંહ જેવા મહાન શહીદની જીવન ગાથા દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ, જેથી આવનારી પેઢીને ખબર પડે કે કેવી રીતે દેશના આ મહાન સપૂતોએ પોતાનું બલિદાન આપી દેશને આઝાદી અપાવી છે. રાજા નાહર સિંહના ઈતિહાસ વિશે વિગતે વાત કરતાં તેમણે કહ્યું કે, નાની ઉંમરમાં ગાદી સંભાળનાર રાજા નાહર સિંહે અંગ્રેજોને લાંબા સમય સુધી દિલ્હી પર કબજો કરતા રોક્યા, તેનું પરિણામ એ આવ્યું કે અંગ્રેજોએ દિલ્હી પર નિયંત્રણ મેળવ્યા બાદ તેમને ટાઉન હોલ, ચાંદની ચોકમાં જાહેરમાં ફાંસી આપી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જો રાજા નાહર સિંહે ઇચ્છ્યું હોત તો તે સમયે અંગ્રેજો સાથે સમાધાન કરીને પોતાનો જીવ બચાવી શક્યા હોત, પરંતુ તેમણે નમવાને બદલે કપાવું વધુ યોગ્ય માન્યું. સમાજે આજે આ વાત સમજવી પડશે. તેમણે કહ્યું કે માત્ર રાજા નાહર સિંહની જેમ જ ચૌધરી મહેન્દ્ર પ્રતાપ, રાજા સૂરજમલ સહિત સદીના આવા ઘણા મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમના કારણે આજે આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ.
આ અવસરે મથુરાના સાંસદ શ્રીમતી હેમા માલિનીએ રાજા નાહર સિંહના બલિદાનને યાદ કરતાં કહ્યું કે, જાટ સમુદાય હંમેશા દેશની રક્ષા માટે અગ્રેસર રહ્યો છે, પછી તે પોલીસ હોય કે અન્ય અર્ધલશ્કરી દળો, જાટ સમુદાય અગ્રણી ભૂમિકામાં રહ્યો છે.
આ પ્રસંગે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું કે, આખો દેશ રાજા નાહર સિંહના બલિદાનને યાદ કરે છે. તેમણે કહ્યું કે તેઓ સ્વતંત્રતા સેનાનીઓના પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને તેઓ જાણે છે કે દેશની રક્ષા માટે સ્વતંત્રતા સેનાનીઓએ કેવા બલિદાન આપવા પડ્યા હતા. તેમણે કહ્યું કે આપણે બધાએ રાજા નાહર સિંહ જેવા મહાન સપૂતોની જીવનકથાઓ જનસમુદાય સુધી પહોંચાડવી જોઈએ.
આ પ્રસંગે હરિયાણાના પૂર્વ કેબિનેટ મંત્રી ચૌધરી કરણ સિંહ દલાલે કહ્યું કે, રાજા નાહર સિંહને ભારતરત્નથી સન્માનિત કરવા જોઈએ. હરિયાણાના પરિવહન મંત્રી પંડિત મૂલચંદ શર્માએ કહ્યું કે, આજે રાજા નાહર સિંહના શહેર વલ્લભગઢમાં બે પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.
તમામ મહેમાનોનું સ્વાગત કરતાં રાજા નાહર સિંહ સ્મારકના નિર્માતા સામાજિક કાર્યકર ચૌધરી સત્યવીર ડાગરે જણાવ્યું હતું કે, રાજા નાહર સિંહ મેમોરિયલના અનાવરણ માટે આજે જે રીતે સમગ્ર દેશના મહાન નેતાઓ અહીં પહોંચ્યા છે, તે પુરાવો છે કે આખો દેશ રાજા નાહર સિંહના બલિદાનનું મહત્વ સમજે છે. નાહર સિંહ એક એવું વ્યક્તિત્વ છે જે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ છે. લોકોને એકતા અને મજબૂતીથી આગળ વધે એ જ રાજા નાહર સિંહને સાચી શ્રદ્ધાંજલિ હશે.
આ પ્રસંગે રાજસ્થાન રોયલ પરિવારના રાજકુમારી કૃષ્ણેન્દ્ર દીપાએ રાજા નાહર સિંહના સ્મારક માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, અન્ય તમામ કાર્યોની સાથે સાથે આવા નિર્માણ દેશમાં નવો ઈતિહાસ રચવામાં મદદ કરે છે.
રાજા નાહર સિંહની આ પ્રતિમા અંદાજે 40 ફૂટ ઊંચી છે, સંપૂર્ણ લોખંડ અને કોંક્રીટથી બનેલા 20 ફૂટ ઊંચા મંચ પર રાજા નાહર સિંહની સાડા 17 ફૂટ ઊંચી અષ્ટધાતુની પ્રતિમા રાજા નાહર સિંહની સંકલ્પબદ્ધતાનું પ્રતિક છે. આ અવસરે ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણ, ધારાસભ્યો, અગ્રણી મહાનુભાવો અને 52 પાલની સરદારી ઉપસ્થિત રહ્યા હતા.
એકલ ડલ્લાસ દ્વારા ભારતના આશરે 342 ગામડોઓમાં પ્રભાવ પાળવા માટે $222,000 એકત્ર કરાયા લેન્ડમાર્ક DFW…
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગ્રેટર નોઈડા (Greater Noida) વિસ્તારમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના…
કેનેડાના (Canada) ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (Temporary Foreign Worker Program - TFWP) માં એક મોટો…
https://www.youtube.com/watch?v=fKiniAipCdM
વૈશ્વિક સ્તરે આર્થિક અને જીઓપોલિટિકલ (Geopolitical) અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) સતત મજબૂતી…
Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન…