ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દીક્ષાંત સમારોહ માટે ગૂજરાત વિદ્યાપીઠ પહોંચ્યા ત્યારે પરિસરમાં કાર્યકારી કુલનાયક શ્રી પ્રો. ભરતભાઈ જોશી એ ગાંધીટોપી પહેરાવીને તેમનું સ્વાગત-અભિવાદન કર્યું અને જમણા ખભે વિદ્યાપીઠના મુદ્રાચિહ્નવાળી ‘સ્નાતક સ્થવિકા’ એટલે કે બગલથેલો પહેરાવ્યો હતો.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ સ્નાતક સ્થવિકા- બગલથેલાને પૂજ્ય ગાંધીજીના અપરિગ્રહના સંદેશ સાથે જોડતાં કહ્યું કે, વ્યક્તિએ પોતાની દૈનિક જરૂરીયાતને એટલી સમેટી લેવી જોઈએ કે આ થેલામાં સમાઈ જાય. આપણે સામાન સો વર્ષનો ભેગો કરીએ છીએ પણ ખબર તો કાલની પણ હોતી નથી.
બધાએ એક દિવસ તો દુનિયા છોડવાની જ છે. અન્યના હિસ્સાની ચીજ-વસ્તુઓ પણ લઈ લેવાની વૃત્તિ તો ઘાતકી છે જ. પરિગ્રહ દુઃખનું કારણ બને છે, અપરિગ્રહથી સદાચારભર્યું જીવન જીવીશું તો દરેકને ખાવા માટે અન્ન, પહેરવા માટે વસ્ત્ર અને રહેવા માટે છત્ર આપી શકીશું.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…