આગામી નવ એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની
જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજાનાર છે. જે
અન્વયે અમદાવાદ જિલ્લામાં આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સમ્પન્ન થાય એ માટે અમદાવાદ
જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ
દવેની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા સેવાસદન ખાતે પરીક્ષા સાથે સંબંધિત તમામ
અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ પરીક્ષા માટેની તમામ તૈયારીઓ અને
વ્યવસ્થાઓ અંગે ઝીણામાં ઝીણી વિગતો મેળવીને સંબંધિત તમામ અધિકારીશ્રીઓને કોઈ પણ
બાબતની અવ્યવસ્થા ન સર્જાય કે અનિચ્છનીય ઘટના ન બને એ માટે સૂચના આપી હતી.
પરીક્ષા આપનાર એક પણ ઉમેદવારને ચેકિંગ કર્યા વિના પરીક્ષા કેન્દ્રમાં જવા દેવામાં ન આવે,
એવી સૂચના આપવા સાથે કલેક્ટરશ્રીએ મહિલા ઉમેદવારોનું મહિલા પોલીસકર્મીઓ દ્વારા
ગરિમાપૂર્ણ રીતે ચેકિંગ કરવાની વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો હતો.
કલેક્ટરશ્રીએ પરીક્ષા
કેન્દ્રો પર એન્ટ્રી પોઇન્ટ, સીસીટીવી કેમેરા, ફ્લાઇંગ સ્ક્વોડ, વિડિયોગ્રાફી, આરોગ્ય-સારવારની
સુવિધા, પરીક્ષા કેન્દ્રનું સંચાલન વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરીને સૌને વિશેષ જાગૃત રહેવા
જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ પરીક્ષા માટેની એસઓપીનું કડક પાલન કરવા માટે સૌને તાકીદ
કરી હતી. જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે જિલ્લા
વહીવટી તંત્ર સજ્જ છે, એવું કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવેએ પરીક્ષા સાથે સંકળાયેલા
જિલ્લાના તમામ અધિકારીઓને સંકલનમાં રહીને ફરજ નિભાવવા અનુરોધ કરવા સાથે
જણાવ્યું હતું કે અધિકારીઓ, પરીક્ષા કેન્દ્રના સંચાલકો તથા પોલીસકર્મીઓ, આપણે સૌએ સાથે
મળીને આપણું કર્તવ્ય નિભાવવાનું છે. નાનામાં નાની બાબતની કાળજી રાખીને આપણે
પરીક્ષામાં આપણી ભૂમિકા ખૂબ સારી રીતે અદા કરી શકીશું. આ પરીક્ષાની ગંભીરતા સમજીને
સૌએ સાવધ રહેવાનું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી સુધીર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ
ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં કુલ 494 પરીક્ષા કેન્દ્રો પર કુલ 4833
બ્લોકમાં કુલ 1,44,990 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને
પ્રવેશતાં પહેલાં ચેકિંગપ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી દ્વારા પણ
દેખરેખર રાખવામાં આવશે. આ રીતે જિલ્લા વહીવટી તંત્ર પરીક્ષાને શાંતિપૂર્ણ માહોલમાં
સમ્પન્ન કરવા સુસજ્જ છે.
પરીક્ષાના ઉમેદવારો માટે જિલ્લા વહીવટી તંત્રે શરૂ કરી હેલ્પલાઇન
પરીક્ષા બાબતે સમસ્યા કે મુશ્કેલી માટે ઉમેદવાદોની મદદ કરવા માટે જિલ્લા વહીવટી
તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉમેદવાર ફોન નં. 079-25508141 પર
કૉલ કરીને જરૂરી મદદ અને માર્ગદર્શન મેળવી શકશે.
તાજેતરમાં નાસિક (Nashik) સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના કાર્યાલયમાં મહિલા કર્મચારીઓના જબરન ધર્માંતરણ (Forced…
પશ્ચિમ એશિયા (West Asia) માં સતત વધી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra…
Women's Reservation Bill | સંસદના વિશેષ સત્ર (Special Session) માં નારી શક્તિ વંદન અધિનિયમ (Women's…
Lok Sabha Delimitation|ભારતના ચૂંટણી માળખા (Election Structure) અને પ્રતિનિધિત્વ પ્રણાલી (Representation System) માં મોટા ફેરફાર…
એપલે (Apple) ઇલોન મસ્કની xAI કંપનીના ગ્રોક એઆઈ (Grok AI) ને તેના એપ સ્ટોર (App…
ઓપનએઆઈ (OpenAI) ના તાજેતરના રિપોર્ટમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે ભારત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…