કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ રાજ્યકક્ષાના કૃષિમંત્રી શ્રી બચુભાઇ
ખાબડ કેસર કેરી મહોત્સવ ખુલ્લો મુકશે
અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે ૧૮ મેથી ૧૭ જૂન દરમિયાન યોજાશે ‘કેસર
કેરી મહોત્સવ’
ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી શકશે અમદાવાદના નાગરિકો
ગુજરાત સરકારના એકમ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની
જેમ આ વર્ષે પણ કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ૧૮ મે,
૨૦૨૩ ગુરુવારના રોજ અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે રાજ્યના કૃષિમંત્રી શ્રી
રાઘવજીભાઈ પટેલ તેમજ રાજ્યકક્ષાના કૃષિમંત્રી શ્રી બચુભાઇ ખાબડ કેસર કેરી
મહોત્સવ ખુલ્લો મુકશે. ૧૮ મેથી ૧૭ જૂન દરમિયાન ચાલનાર આ મહોત્સવમાં કેસર કેરી
પકવતા ખેડૂતો સીધુ વેચાણ કરશે.
અમદાવાદના નાગરિકોને કેસર કેરીનો અસ્સલ સ્વાદ અને ખેડૂતોને સારું બજાર
મળે તે હેતુથી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન કેસર કેરી મહોત્સવનું આયોજન કરે
છે. આ ઉપરાંત વ્યાજબી ભાવે ઉત્તમ ગુણવત્તાયુક્ત કેરી મળવાને કારણે પ્રતિવર્ષ
અમદાવાદના લોકો કેસર કેરી મહોત્સવની રાહ જોતા હોય છે.
Women's Reservation Bill | સંસદના વિશેષ સત્ર (Special Session) માં નારી શક્તિ વંદન અધિનિયમ (Women's…
Lok Sabha Delimitation|ભારતના ચૂંટણી માળખા (Election Structure) અને પ્રતિનિધિત્વ પ્રણાલી (Representation System) માં મોટા ફેરફાર…
એપલે (Apple) ઇલોન મસ્કની xAI કંપનીના ગ્રોક એઆઈ (Grok AI) ને તેના એપ સ્ટોર (App…
ઓપનએઆઈ (OpenAI) ના તાજેતરના રિપોર્ટમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે ભારત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…
નાણાકીય વર્ષ (Financial Year) 2025-26ના તાજેતરના આંકડા મુજબ, ચીન ફરી એકવાર ભારતનું સૌથી મોટું વેપાર…
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ન હોવાને કારણે…