આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ  ગાંધીજીના સિદ્ધાંતો તથા રાજભાષા હિન્દી વિશે જનજાગૃતિ ફેલાવવા કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી પદયાત્રા યોજાઈ

નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ, અમદાવાદ દ્વારા આયોજિત પદયાત્રાનો કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓના વડાઓએ ફ્લેગ ઓફ કરીને આરંભ કરાવ્યો હતો

600થી વધુ વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને અગ્રણીઓ પદયાત્રામા જોડાયા

માર્ચ મહિનો ભારતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ રહ્યો છે. 12 માર્ચ,1930ના રોજ ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી માટે પદયાત્રા શરૂ કરી અને તેઓ 5 એપ્રિલે દાંડી પહોંચ્યા હતા, જ્યાં મીઠાના કાળા કાયદાનો સવિનય ભંગ કરીને અંગ્રેજી શાસનને  ભારતમાંથી સમૂળગો જાકારો આપવા આહ્વાન કર્યુ હતું. મીઠાના કાળા કાયદાનો વિરોધ કરીને અંગ્રેજી શાસનમાં લૂણો લગાડવાની સાથે જ તેમણે ભારતની આઝાદીનો જાણે પાયો નાખી દીધો હતો.

દેશની આઝાદીની લડાઈની આ ઐતિહાસિક ઘટના વિશે લોકો જાણે અને ગાંધીજીની સિદ્ધાંતોનો પરિચય મેળવે એ હેતુથી  તથા રાજભાષા હિન્દીના વધુ ઉપયોગ અંગે જાગૃતિ વધે એ માટે નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ, અમદાવાદે કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી આજે શનિવારે એક પદયાત્રાનું આયોજન કર્યુ હતું. પ્રિન્સિપાલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ2), ગુજરાતના કાર્યાલયને આ યાત્રાના આયોજનની જવાબદારી સોંપવામાં આવી હતી.

અમદાવાદ સ્થિર કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓના વડાઓએ  આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ યોજાયેલ આ પદયાત્રાનો લીલીઝંડી બતાવીને આરંભ કરાવ્યો હતો. આ પદયાત્રા કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી યોજાઈ હતી. અમદાવાદમાં સ્થિત ભારત સરકારના કાર્યાલયોના 600થી વધુ વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અગ્રણીઓ આ પદયાત્રામાં સામેલ થયા હતા. સાબરમતી આશ્રમે પદયાત્રા સંપન્ન થયે તમામ પદયાત્રિકોએ ગાંધીજીની પ્રતિમા સમક્ષ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે 12 માર્ચ,1930ના રોજ ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી માટે પદયાત્રા શરૂ કરી અને 5 એપ્રિલના  રોજ તેઓ દાંડી પહોંચ્યા હતા. 6 એપ્રિલે તેમણે દાંડીમાં નીમક બનાવીને મીઠાનો કાળો કાયદો તોડ્યો અને અહિંસાના સિદ્ધાંત પર તેમણે સવિનય કાનૂન ભંગનો પ્રારંભ કર્યો હતો.

તેમની આ દાંડીયાત્રા દરમિયાન ગાંધીજી 2 એપ્રિલ,1930ના રોજ માર્ગમાં ડીંડોલી ગામમાં રોકાયા હતા અને વાંઝ ગામમાં રાતવાસો કર્યો હતો. આ જ દિવસને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 2 એપ્રિલે એટલે કે આજે કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

H S

Recent Posts

TCSમાં ધર્માંતરણનું રેકેટ? નાસિકથી દિલ્હી સુધી આતંકી કનેક્શનની તપાસ તેજ

તાજેતરમાં નાસિક (Nashik) સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના કાર્યાલયમાં મહિલા કર્મચારીઓના જબરન ધર્માંતરણ (Forced…

21 minutes ago

પીએમ મોદીએ મેક્રોન સાથે કરી વાતચીત, હોર્મુઝ મુદ્દે ભારત અને ફ્રાંસ એકમત

પશ્ચિમ એશિયા (West Asia) માં સતત વધી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra…

32 minutes ago

માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ

Women's Reservation Bill | સંસદના વિશેષ સત્ર (Special Session) માં નારી શક્તિ વંદન અધિનિયમ (Women's…

23 hours ago

લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત

Lok Sabha Delimitation|ભારતના ચૂંટણી માળખા (Election Structure) અને પ્રતિનિધિત્વ પ્રણાલી (Representation System) માં મોટા ફેરફાર…

23 hours ago

Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો

એપલે (Apple) ઇલોન મસ્કની xAI કંપનીના ગ્રોક એઆઈ (Grok AI) ને તેના એપ સ્ટોર (App…

24 hours ago

ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત

ઓપનએઆઈ (OpenAI) ના તાજેતરના રિપોર્ટમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે ભારત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

24 hours ago