અનુપમ મિશન ટેકસાસ ડલાસ મંડળની આ માસિક સભા ક્રિસમસના ઉત્સવ ને અનુલક્ષી ને રાખવામાં આવેલ હતી. અનુપમ મિશન મોગરી ભારત ના વડા ગુરુવર્ય પૂજ્ય શ્રી જશભાઈ સાહેબજી (સાહેબ દાદા) સંતશ્રી પૂજ્ય આશ્વિનદાદા, અક્ષર નિવાસી સંત શ્રી પૂજ્ય શાંતિદાદા, સંત શ્રી પૂજ્ય મનોજદાસજી તથા તમામ સંત ગણ જેમની પ્રેરણા,બળ અને આશીર્વાદ થકી સર્વે ભક્તો ના જીવનમાં ભક્તિ,સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ય છે તેઓની દિવ્ય સ્મૃતિ સાથે હરિભક્તોએ સભામાં ઉત્સવની ઉજવણી આનંદમય અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં કરી હતી.
ભજન, કીર્તન ,ધૂન અને મહિમા ગાનથી સૌ ભક્તોના હૃદય દીપી ઉઠ્યા હતા. ડલાસ મંડળના હરિભક્તો અનુપમ મિશન સંસ્થાના થકી બનેલા અનુપમ પરિવારમાં થતા આવા ઉત્સવો સભાઓ માં એકત્ર થઈ વિદેશમાં બની ગયેલા આ અનુપમ પરિવાર માટે સાહેબદાદાનો કૃતજ્ઞતા પૂર્વક આભાર માન્યો હતો. અનુપમ મિશન ડલાસ મંડળના સભ્યો ડલાસ વિસ્તારમાં રહેતાં અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિમય સભામાં જોડાવવા સૌને આમંત્રણ આપે છે (સંપર્ક તંત્રીશ્રી ગુજરાત દર્પણ)
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…