Skip to content
March 17, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ ના સૂત્રને સાર્થક કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

H S April 22, 2023
24 ma2

ગુજરાત રાજ્ય યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ભદ્રકાળી
મંદિરની મુલાકાત લઈને જાતે જ મંદિર પરિસર અને ચોગાનની સાફસફાઈ કરી

મેયર શ્રી કિરીટભાઇ પરમાર, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન સહિત
ધારાસભ્યશ્રીઓએ અને કાઉન્સિલરશ્રીઓ પણ મંદિર પરિસરના સાફસફાઈ કાર્યમાં ગૃહ

રાજ્યમંત્રી સાથે જોડાયા


આપણે જ્યાં પૂજા-અર્ચના કરતા હોઈએ તેવા આપણા આસ્થાસ્થાનોને સાફ અને
સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે – ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરની મુલાકાત લઈને મંદિર પરિસર અને ચોગાન સહિતના
સ્થળોએ જાતે જ સફાઈકાર્ય હાથ ધર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સાથે મેયર શ્રી
કિરીટભાઇ પરમાર, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન સહિત અમદાવાદના ધારાસભ્યશ્રીઓ
અને કાઉન્સિલરશ્રીઓ પણ મંદિર પરિસર અને ચોગાનના સફાઈકાર્યમાં જોડાયા હતા.
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઇ મોદીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ દ્વારા દેશને સ્વચ્છ બનાવવા માટેનો નિર્ધાર કર્યો છે
ત્યારે આપણા યાત્રાધામો પણ સ્વચ્છ રહે તે જરૂરી છે.

આપણે જ્યાં પૂજા અર્ચના કરતા હોઈએ
તેવા આપણા આસ્થાસ્થાનોને સાફ અને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે.
યાત્રાધામોના સફાઈકાર્યની જવાબદારી માત્ર સફાઈ કામદારો પર ન છોડીને આપણે સ્વયં પણ
હંમેશા યાત્રાધામોને સ્વચ્છ અને સાફ સુથરા રાખવાનો આજના પવિત્ર દિવસે સંકલ્પ કરવો
જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: “ભારત માતા કી જય” ના નાદ સાથે વેરાવળ રેલવે સ્ટેશન ગૂંજી ઉઠ્યું
Next: અખાત્રીજના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા
Follow

Recent Posts

  • દુબઈ એરપોર્ટ પર ડ્રોન એટેક, અબુ ધાબીમાં મિસાઈલ હુમલામાં પેલેસ્ટાઈનના 1 નાગરિકનું મોત મોત
  • યુદ્ધની અસર: ગુજરાતમાં કોમર્શિયલ ગેસની ભારે અછત, હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો
  • ખેડા: પાટીદાર દીકરીના પ્રેમલગ્ન મામલે સમાજ મેદાને, કિંજલ રબારીના કિસ્સા બાદ દીકરીને પરત લાવવા ઉઠી માંગ
  • અમદાવાદમાં ઉઘરાણી માટે ફિલ્મી ઢબે અપહરણ: ‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે’ કહી યુવકને માર માર્યો
  • કિંજલ રબારી લગ્ન વિવાદનો અંત: સિંગરે લીધો યુ-ટર્ન, કહ્યું- “હું રાહ ભટકી ગઈ હતી, હવે પરિવાર સાથે છું”
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.