Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

શ્રી બાવન વાંટા રાજપૂત સમાજ પ્રેરિત શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ , પાલનપુર આયોજિત સન્માન સમારોહ

H S July 9, 2023
9 raj

સમાજના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરેલ મહાનુભાવોના સન્માન કરવાના અવસરે શ્રી બાવન વાંટા રાજપૂત સમાજ પ્રેરિત શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ , પાલનપુર આયોજિત સન્માન સમારોહ અને પ્રથમ વર્ષ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓના શપથવિધિ કાર્યક્રમમાં રાજપૂત સમાજ અને રાજપૂત સમાજની વિવિધ સંસ્થાના હોદેદારો દ્વારા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબનું સન્માન કરવામાં આવ્યું.


સાહેબશ્રીએ ઉદ્બોધનમાં જણાવ્યું કે સમાજ ઉદ્યોગક્ષેત્રે આગળ વધે અને શિક્ષણક્ષેત્રે પણ આગળ વધે, સરકાર આજના જમાનામાં ઉદ્યોગ માટે ઘણું બધું કરી રહી છે તેમજ સમાજના સર્વે આગેવાનો, સંસ્થાઓના હોદ્દેદારો અને સમસ્ત બાવન વાંટા રાજપૂત સમાજનો સન્માન કરવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો તેમજ સાહેબશ્રીના વરદહસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે શ્રી કિશોરસિંહ સોલંકી સંકુલના દાતાશ્રી, સન્માનનીય મહાનુભાવ શ્રી ગુણવંતસિંહ સોલંકી (આઈ.એ.એસ), સન્માનનીય મહાનુભાવ શ્રી વદનસિંહ બોડાણા – એડીશનલ કલેકટર, શ્રી સામંતસિંહ સોલંકી પ્રમુખશ્રી રાજપુત સમાજ મિલકત ટ્રસ્ટ અંબાજી, શ્રી ડી. ડી. રાજપૂત પ્રમુખશ્રી થરાદ તાલુકા રાજપુત સમાજ, શ્રી કાનજીભાઇ રાજપુત પ્રમુખશ્રી વાવ તાલુકા રાજપુત સમાજ , શ્રી ઉદયસિંહ રાજપુત પ્રમુખશ્રી હિંદવાણી રાજપુત સમાજ, શ્રી થાનાજી રાજપુત દાતાશ્રી સુઈગામ રાજપુત સમાજ ભવન ગાંધીનગર, શ્રી એલ.કે.બારડ , શ્રી કેશરસિંહ સોલંકી નિવૃત્ત સેલટેક્સ કમિશનર, શ્રી મદારસિંહ હડીયોલ, શ્રી અજમલસિંહ પરમાર, શ્રી ડૉ. ડી. ડી. પાટીદાર પ્રિન્સીપાલ, શ્રી મયંકભાઈ શાહ – પાલનપુર, સમસ્ત બાવન વાંટા રાજપૂત સમાજના અગ્રણી આગેવાનો અને ભાઈઓ, વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: बीएसएफ गुजरात ने पर्यावरणीय स्थिरता को बढ़ावा देने के लिए वृक्षारोपण अभियान का आयोजन किया
Next: દયાબહેનનું અંતિમદાન : અંગદાન
Follow

Recent Posts

  • ચાંદખેડા રોડ-સાબરમતી ‘D’ કેબિન નવી બ્રૉડ ગેજ Y-કનેક્ટિવિટી લાઈનનું CRS નિરીક્ષણ સફળતાપૂર્વક સંપન્ન
  • અપગ્રેડેડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં ઓગસ્ટથી ટ્રેનોનું શિફ્ટિંગ શરૂ થશે
  • પશ્ચિમ બંગાળમાં શુવેન્દુ અધિકારીના PAની હત્યા, ભાજપે ગુંડાઓના સફાયાની આપી ચેતવણી
  • અમદાવાદ વિમાન દુર્ઘટના માટે પાઇલટની ભૂલ નહીં પણ ટેકનિકલ ખામી જવાબદારઃ FIP
  • પશ્ચિમ બંગાળમાં હાર બાદ ટીએમસીમાં નેતા અને અધિકારીઓના ટપોટપ રાજીનામા પડવા લાગ્યા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.